06 April, 2020 12:22 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
9 વાગે 9 મિનિટ: અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ કોરોના વાયરસ (COVID-19) સામેની લડતમાં રવિવારે રાત્રે નવ વાગે આખા દેશમાં નવ મિનિટ માટે વિશેષ દિવાળી ઉજવવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીએ પણ એન્ટિલિયામાં દીવા પ્રગટાવીને એકતા દેખાડી હતી. ફક્ત બાલકની કે બારીમાં જ નહીં પણ અંબાણી પરિવારે આખા એન્ટિલિયામાં દીવા પ્રગટાવ્યા હતા.
તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાએ પણ દીવડા પ્રગટાવીને દેશને જલ્દી આ મહામારીમાંથી છુટકારો મળે તેવી પ્રાર્થના કરી હતી.