લોકલ ટ્રેનોના મુસાફરો ૭૦ લાખ અને ફરિયાદ માત્ર ૬૮

30 December, 2011 04:55 AM IST  | 

લોકલ ટ્રેનોના મુસાફરો ૭૦ લાખ અને ફરિયાદ માત્ર ૬૮

 

રેલવે-અધિકારીઓએ કહ્યું હતું કે ૧૩૮ ઑનલાઇન ફરિયાદમાંથી ૬૮ ફરિયાદ જ વાજબી છે, જ્યારે બાકીની ૭૦ નકામી છે. જોકે આ મામલે બહુ નિરાશ થવા જેવું પણ નથી. મુંબઈ રેલવેની થિન્ક ટૅન્ક મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ની વેબસાઇટ પર ઢગલાબંધ ફરિયાદો થતી રહે છે. એમઆરવીસીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમને મળતી ફરિયાદો પર અમે તાત્કાલિક પગલાં લઈએ છીએ. વાયોલેટ (જાંબલી) કલરની ટ્રૅનો લૉન્ચ કરવામાં આવી ત્યારે બે સીટ વચ્ચે પગ રાખવાની જગ્યા ન હોવા વિશે અનેક ફરિયાદો મળતી હતી.’