29 May, 2025 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કોવિડના કેસ ફરી માથું ઊંચકી રહ્યા છે ત્યારે ગઈ કાલે કલ્યાણના ૬૭ વર્ષના કોવિડ પૉઝિટિવ દરદીએ જીવ ગુમાવ્યો હતો. કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં બે દિવસમાં બીજા દરદીનું કોવિડને લીધે મૃત્યુ થયું છે.
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં હેલ્થ ઑફિસર ડૉ. દીપા શુક્લાએ કહ્યું હતું કે ‘૬૭ વર્ષના દરદીને ૨૪ મેએ ડોમ્બિવલીની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ૧૨ વર્ષ પહેલાં આ દરદીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો એટલે તેઓ પૅરેલાઇઝ્ડ હતા. તબિયત બગડતાં દરદીને કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ દરદીએ કોવિડની વૅક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો. દરદીનું હાયપરટેન્શન અને ડાયાબિટીઝ વધી જવાને લીધે આજે મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં અત્યાર સુધી કોવિડના આઠ મામલા નોંધાયા છે જેમાંથી બે દરદી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ છે, ત્રણને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને એક દરદી હોમ ક્વૉરન્ટીન છે.’