નાલાસોપારામાં ૪૮ વર્ષની મહિલા પર થયો બળાત્કાર

22 November, 2012 06:49 AM IST  | 

નાલાસોપારામાં ૪૮ વર્ષની મહિલા પર થયો બળાત્કાર



નાલાસોપારામાં ત્રણ બાળકોની ૪૮ વર્ષની માતા પર એક યુવકે બળાત્કાર કરવાની ઘટના બની હતી. નાલાસોપારા-ઈસ્ટમાં આચોલે રોડ પર વૈતીવાડી પરિસરમાં રહેતી ૪૮ વર્ષની આ મહિલા પર ૨૪ વર્ષના રાજકમલ પવાર નામના યુવકે બળાત્કાર કર્યો હતો. રાજકમલ અને મહિલા વૈતીવાડીમાં બાજુ-બાજુમાં રહેતાં હતાં. મહિલાની દીકરાઓનાં લગ્ન થઈ ગયાં હોવાથી તેઓ અલગ રહેતી હતી અને મહિલા એકલી રહેતી હતી. મહિલાનો પતિ વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો. રાજકમલ રિક્ષા-ડ્રાઇવર છે અને થોડા વખત પહેલાં વિરારના પાંચ પાયરી વિસ્તારમાં રહેવા ગયો હતો. ઘટનાના દિવસે રાજકમલ તેના મિત્રો સાથે પાર્ટી કરવા નાલાસોપારામાં આવ્યો હતો. એ વખતે તેણે ખૂબ દારૂ પીધો હતો. એવી હાલતમાં તે મહિલાના ઘરમાં મોડી રાત્રે ઘૂસી ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. મહિલા પર આવી રીતે બળાત્કાર થતાં તે આઘાતમાં આવી ગઈ છે.