25 December, 2012 06:08 AM IST |
રવિવારે સવારે પુણેના ચાકણથી ફૉર્ડ ફિગો કારમાં આવેલા પાંચ જણ પાછા ચાકણ જઈ રહ્યા હતા ત્યારે નડેલા અકસ્માતમાં ત્રણ જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ વિશે બેલાપુર ટ્રાફિક-પોલીસના પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેશ બાબેશેટ્ટીએ કહ્યું હતું કે ‘પામ બીચ રોડ પર તેઓ ૧૦૦ કિલોમીટર કરતાં વધુની ઝડપે જઈ રહ્યા હતા ત્યારે કાર ઉરણથી જવાહરલાલ નેહરુ પોર્ટ તરફ જઈ રહેલા ટ્રેલર સાથે કિલ્લા જંક્શન પર જોસભેર અથડાઈ હતી. એને કારણે કારનો ઉપરનો ભાગ ચિરાઈ ગયો હતો અને એમાં દિનેશ સહિત ૨૩ વર્ષનો આતિષ જામ્બુળકર અને રાહુલ ઠોમરે ચિરાઈ જતાં તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૧૯ વર્ષના રાજન ખુશવંતને ગંભીર ઈજા થઈ છે. જોકે કારમાં સૂઈ ગયેલા ૨૭ વર્ષના ગણેશ જામ્બુળકરને કશી ઈજા નહોતી થઈ.’