વસઈ-વિરાર ફાયરબ્રિગેડ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ

20 October, 2011 07:57 PM IST  | 

વસઈ-વિરાર ફાયરબ્રિગેડ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ



દસેક દિવસ અગાઉ ફાયરબ્રિગેડના મુખ્યાલયના ઉદ્ઘાટન સમયે હિતેન્દ્ર ઠાકુરે પણ કહ્યું હતું કે ‘ફાયરબ્રિગેડના વિકાસમાં કોઈ પ્રકારનું રાજકારણ ન હોવું  જોઈએ. શહેરના નાગરિકોની સુરક્ષા માટે દરેક પક્ષ સહયોગ આપે એ જરૂરી છે.’

શહેરનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે એ જોતાં બહુમાળી ઇમારતો બનવી શરૂ થાય એ દિવસો દૂર નથી. આવા સમયે સ્નૉર્કેલ સિવાય અન્ય જરૂરી સાધનસામગ્રી ખરીદવા આ અઠવાડિયે મળેલી મહાસભા દ્વારા ફાયરબ્રિગેડ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમમાંથી ત્રણ વૉટર ટેન્કર વિથ ઍક્સેસરીઝ, ચાર મિની વૉટર ટેન્કર વિથ ઍક્સેસેરીઝ, એક ફોમ ટેન્કર, એક ઇમર્જન્સી રેસ્ક્યુ ટેન્કર સહિત અનેક સામગ્રી ખરીદવામાં આવશે.