23 June, 2020 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગ્નનો વાયદો આપીને શખ્સે યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો એટલે 23 વર્ષીય યુવતીએ ઉશ્કેરાઈને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. કાંદિવલીમાં રહેતી 23 વર્ષીય યુવતીની આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિની મુંબઈ પોલીસે સોમવારે ધરપકડ કરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, કાંદિવલીમાં રહેતી 23 વર્ષીય યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને શનિવારે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની બાજુમાંથી સુસાઈડ નોટ પણ મળી હતી. આ સુસાઈડ નોટમાં હ્રિતિક મિશ્રા નામના વ્યક્તિનું નામ લખેલું હતું. સુસાઈડ નોટમાં લખેલુ હતું કે, આત્મહત્યાનું પગલુ ભરવા પાછળ હ્રિતિક મિશ્રા જવાબદાર છે. મિશ્રાએ યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને પછી બીજા સાથે પરણી ગયો હતો.
યુવતીના પિતાએ કરેલી ફરિયાદને આધારે મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કૉડ (આઈપીસી) ની ધારા 306 મુજબ આપઘાત કરવા માટે યુવતીને પ્રેરિત કરી હોવાથી ગુનો નોંધવામાં આવ્યો છે, તેમ પોલીસે જણાવ્યું હતું.