નવઘર રોડ પરના ખોદકામને કારણે રાહદારીઓ ને દુકાનદારોને હાલાકી

19 December, 2012 07:06 AM IST  | 

નવઘર રોડ પરના ખોદકામને કારણે રાહદારીઓ ને દુકાનદારોને હાલાકી



નવઘર રોડ પર આવેલા પૂજા મૅટ્રેસિસ ક્લોથ સ્ર્ટોસના માલિકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ઘણા સમયથી રસ્તાના વિસ્તરીકરણ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. આ ખોદકામને પગલે અહીં દુકાનોની સામે જ ફૂટપાથ પર નાની કાંકરીઓના ઢગલા કરવામાં આવ્યા છે અને પેવર બ્લૉક્સ મૂકવામાં આવ્યા છે. એથી ગ્રાહકોને દુકાનમાં આવતાં મુશ્કેલી પડે છે.’

નવઘર રોડ પર આવેલા હેરસલૂનના માલિકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં સુધરાઈ દ્વારા ‘નો પાર્કિંગ’નાં બોર્ડ લગાવવામાં આવ્યાં હોવા છતાં પણ લોકો ખોદકામ કરેલી જગ્યા પર કલાકો સુધી વાહનો પાર્ક કરી જાય છે. એમાં દુકાનની સામે ખોદકામ તો કરેલું છે જ અને સાથે વાહનચાલકો વાહનો પાર્ક કરી અમારી સમસ્યાઓમાં ઉમેરો કરે છે જેના કારણે અમારા ગ્રાહકો ઓછા થતા જાય છે અને સુધરાઈ દ્વારા પણ જલદી કામ પૂરું કરવામાં આવતું નથી.’