11 December, 2012 07:28 AM IST |
તેમના આ વલણને કારણે અરવિંદ કેજરીવાલને બહુ આર્ય થયું છે. ગઈ કાલે સાંગલી જિલ્લામાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોની એક સભા સંબોધવા આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘અણ્ણાએ પહેલાં અમારી પાર્ટીને ટેકો આપ્યો હતો, હવે શા માટે તેમનું સ્ટૅન્ડ બદલ્યું એ ખબર ન પડી. બે દિવસમાં શું થયું કે તેમણે તેમનું વલણ બદલ્યું એ નથી સમજાતું. તેઓ હવે અમારી સાથે નથી રહ્યા. જો અમારી કોઈ ભૂલ થઈ હોય તો અમે એ સુધારવા તૈયાર છીએ. અણ્ણા અમારું નૈતિક બળ છે. મને આશા છે કે ભવિષ્યમાં તેઓ ફરી અમારી સાથે આવશે.’