આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ

10 December, 2012 07:39 AM IST  | 

આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ



૧૧ ઑગસ્ટે થયેલી હિંસક ઘટનામાં બેસ્ટની ૨૪ બસ, પોલીસનાં ૧૫ વાહનો, ફાયર-બ્રિગેડનું એક વાહન અને સુધરાઈ તેમ જ પ્રાઇવેટ માલમિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ડિસ્ટિÿક્ટ મૅજિસ્ટ્રેટ આ વિશે તમામ જવાબદાર લોકોને વળતર ચૂકવવા માટે નોટિસ મોકલશે. મ્યાનમાર તથા આસામમાં મુસ્લિમો પર થયેલા અત્યાચારનો વિરોધ કરવા માટે આઝાદ મેદાનમાં એક સંસ્થાએ વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી માગી હતી, પરંતુ ત્યાં અપેક્ષા કરતાં વધુ લોકો હાજર રહ્યા હતા તેમ જ ભીડ બેકાબૂ થતાં હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી.

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ