08 December, 2012 08:37 AM IST |
ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે ‘૩૫ વર્ષના રહેમતસિંહ રાજપૂત ઉર્ફે રણજિતસિંહ દસાના, ૪૦ વર્ષના ગણેશ ગૌડા, ૨૯ વર્ષના આનંદ પિલ્લે અને ૨૫ વર્ષના ગણેશ બન્સોડેને અમે ૨૩ નવેમ્બરે પરેલમાં આવેલી એક ચૅરિટી હૉસ્પિટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યા હતા. તેઓ અત્યારે આર્થર રોડ જેલમાં છે. આ લોકોના અન્ય બે સાથી રાકેશ બચ્છાવ અને સંજય જૈનને અમે ભાઈંદરથી પકડી પાડ્યા હતા અને તેમનો કબ્ાજો સંગમનેર પોલીસને સોંપવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન રહેમતસિંહ રાજપૂતે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેની ટોળકીએ મુંબઈના વિક્રમ બોરા નામના જ્વેલરને ૭ નવેમ્બરે અહમદનગર જિલ્લાના સંગમનેર શહેરમાં ધમકી આપી તેની પાસે રહેલી ૩૧ લાખ રૂપિયાની જ્વેલરી લૂંટી લીધી હતી. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.’