એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા

04 December, 2012 06:03 AM IST  | 

એકાદ દિવસની લાગતી બાળાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાની આશંકા




શ્રીરામ સહારા નામની સોસાયટીના ગેટ પાસે પડેલી કચરાપેટીમાંથી આ શિશુનો મૃતદેહ મળ્યો હતો. ગઈ કાલે સવારે જ્યારે સફાઈ-કર્મચારીઓ કચરાપેટીની સફાઈ કરી રહ્યા હતા ત્યારે પેટીમાંથી તેમને પ્લાસ્ટિકની થેલી મળી હતી. કર્મચારીઓએ ખોલીને જોતાં અંદરથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક રહેવાસી અને કર્મચારીઓએ તરત ભાઈંદર પોલીસ-સ્ટેશને આની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલ્યો હતો.

આ વિશે વધુ માહિતી આપતાં કેસ સંભાળી રહેલા ભાઈંદર પોલીસ-સ્ટેશનના એએસઆઇ ચંદ્રકાન્ત કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે મોકલાવવામાં આïવ્યો છે. રર્પિોટ આવે ત્યારે વધુ માહિતી મળી શકશે. નવજાત બાળકી લગભગ એકાદ-બે દિવસની જ લાગી રહી છે. પ્રાથમિક તપાસમાં તેનું ગળું દબાવીને મારી નાખી હોય એવું લાગી રહ્યું છે.’