મૂળભૂત સુવિધાઓ માટે શારીરિક રીતે અક્ષમ લોકો ભાઇંદરમાં ઊતર્યા રસ્તા પર

01 November, 2012 06:58 AM IST  | 

મૂળભૂત સુવિધાઓ માટે શારીરિક રીતે અક્ષમ લોકો ભાઇંદરમાં ઊતર્યા રસ્તા પર



બુધવારે બપોરે મીરા-ભાઈંદરના ડૉ. બાબાસાહેબ આંબેડકરનગર, ડોંગરી ઝૂંપડ્ડપટ્ટી વિસ્તારમાં રહેતા શારીરિક રીતે અક્ષમ એવા ૫૦ પરિવારોએ મળીને મોરચો કાઢ્યો હતો.

તેમને પ્રશાસન દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા મળી નથી રહી. પાણી, વીજળી, શૌચાલય જેવી કોઈ પણ સુવિધા તેમને મળતી ન હોવાથી તેમણે પ્રશાસનને ઘણી વાર ફરિયાદ પણ કરી હતી, પણ કોઈ પગલાં ન લેવામાં આવતાં તેમણે મોરચો કાઢી તેમની નારાજગી વ્યક્ત કરી હતી.  જો ટૂંક સમયમાં શારીરિક રીતે અક્ષમ લોકો તેમનો અધિકાર મેળવવા રસ્તા પર ઊતરીને આંદોલન કરશે.