30 October, 2012 05:16 AM IST |
જ્યારે અમુક મહેમાનો ચક્કર આવવાથી પડી ગયા હતા. પાલઘરમાં રહેતા પરિત સુરેશ વડે અને કૃત્ષિકા દશરથ પપંળેની પાલઘરના એક રિસૉર્ટમાં રવિવારે સગાઈ રાખવામાં આવી હતી. એમાં જમીને મહેમાનો થોડી વાર બેઠા હતા. ત્રણ કલાક બાદ બેઠેલા લોકો ઊલટીઓ કરવા લાગ્યા હતા, જ્યારે અમુક જણ ચક્કર આવતાં પડી ગયા હતા. ૧૦૦થી વધારે મહેમાનોની ખાવાનું ખાધા બાદ તબિયત ખરાબ થઈ ગઈ હતી. બીમાર પડેલા લોકોને પાલઘરની ઢવળે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા બીમાર લોકોને વસઈ, બોઇસર તેમ જ મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કેટરિંગ કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.