આ તે રોડ કે શૌચાલય?

03 August, 2012 07:46 AM IST  | 

આ તે રોડ કે શૌચાલય?

બોરીવલી-ઈસ્ટમાં દોલતનગર પાસે બસ-સ્ટૅન્ડ પાસે અને એનાથી આગળ જતા રસ્તાની પર ખૂબ જ ગંદકી છે. આ રસ્તા પર ચાલી શકાય એવું નથી. રોડની હાલત જાહેર શૌચાલય જેવી થઈ ગઈ છે. રસ્તા પર ગંદકી ખાવા કાગડાઓ બેસી જાય છે. અમુક લોકો દ્વારા રસ્તાનો ઉપયોગ શૌચાલયની જેમ થતો હોવાથી રોડ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે  છે. આને કારણે રાહદારીઓ રસ્તાનો ઉપયોગ કરી શકતા નથી.