મુંબઈમાં નોંધાયા 19,474 નવા કોરોના કેસ, સાતનાં મૃત્ય

09 January, 2022 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાલમાં મુંબઈમાં 1 લાખ 17 હજાર 437 સક્રિય કેસ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મુંબઈમાં આજે 19,000થી વધુ દર્દીઓ નોંધાયા છે. કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાને પગલે ફરી એકવાર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. હાલમાં મુંબઈમાં 1 લાખ 17 હજાર 437 એક્ટિવ કેસ છે.

આજે મુંબઈમાં 8063 દર્દીઓ સાજા થયા છે એને સાત મૃત્યુ લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત પરિણામે, મુંબઈમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 7 લાખ 78 હજાર 119 પર પહોંચી ગઈ છે. દરમિયાન, સાજા દર્દીઓનો દર વધીને 85 ટકા થઈ ગયો છે.

મુંબઈમાં આજે મળી આવેલા દર્દીઓમાંથી 1,240 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં દિવસ દરમિયાન કુલ 68,249 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મુંબઈમાં કુલ 17 કન્ટેન્મેન્ટ ઝોન છે. મુંબઈ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં કુલ 123 ઈમારતોને સીલ કરી છે. મુંબઈમાં દર્દી બમણા થવાનો દર 41 દિવસમાં પહોંચી ગયો છે.

mumbai news