13 July, 2020 11:41 AM IST | Mumbai Desk | Agencies
કોશ્યારી
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સત્તાવાર નિવાસસ્થાન રાજભવનના ૧૮ કર્મચારીઓને કોરોના થયો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સેફ છે અને તેઓ સાવચેતી માટે પોતાને અન્યોથી અલગ કરીને આઇસોલેશનમાં રહે છે.
ગયા અઠવાડિયે રાજભવનના બે કર્મચારીઓની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. એ પછી ત્યાંના બીજા ૧૦૦ જણની ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી ૧૬ જણને કોરોના હોવાનું જણાઈ આવ્યું હતું. જેમને કોરોના હોવાનું જણાઈ આવ્યું છે એમાં રાજભવનના સિનિયર સ્ટાફનો પણ સમાવેશ છે. પાલિકાએ ત્યાર બાદ ઝડપી પગલાં લીધાં હતાં. ગવર્નર ઑફિસ અને સ્ટાફ ક્વૉર્ટર હાલમાં સીલ કરી દેવામાં આવ્યાં છે અને આખા રાજભવનને સૅનિટાઇઝ કરવામાં આવ્યું છે.