આજથી દહિસર સ્ટેશને પંદર ડબ્બાની લોકલને હૉલ્ટ મળશે

02 December, 2011 08:26 AM IST  | 

આજથી દહિસર સ્ટેશને પંદર ડબ્બાની લોકલને હૉલ્ટ મળશે

 

આજથી પંદર ડબ્બાની લોકલ દહિસર રેલવે-સ્ટેશન પર હૉલ્ટ લેશે. હવે પંદર ડબ્બાની લોકલ બોરીવલીથી વિરાર સ્ટ્રેચમાં નાયગાંવ સ્ટેશન સિવાય બધાં સ્ટેશનો પર ઊભી રહેશે. પંદર ડબ્બાની લોકલ માટે પ્લૅટફૉર્મ એક્સટેન્ડ કરવામાં આવ્યું હતું અને સિગ્નલો તથા ઓવરહેડ ઇક્વિપમેન્ટ્સ શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. આ પહેલા પંદર ડબ્બાની લોકલને ચર્ચગેટ સુધી એક્સટેન્ડ કરવામાં આવી હતી. આ લોકલ અત્યારે ચર્ચગેટ, દાદર, બાંદરા, અંધેરી, બોરીવલી, મીરા રોડ, ભાઈંદર, વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર રેલવે-સ્ટેશન પર ઊભી રહે છે અને આજથી દહિસર સ્ટેશન પર પણ ઊભી રહેશે. નાયગાંવ પર સબવેનું કામ પૂરું થઈ ગયા બાદ પંદર ડબ્બાની લોકલ આ સ્ટેશન પર પણ હૉલ્ટ લેશે.