બીએમસીના ૬ વૉર્ડમાં કોરોનાના ૧૪૦૦૦ કેસ

29 May, 2020 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીના ૬ વૉર્ડમાં કોરોનાના ૧૪૦૦૦ કેસ

ધારાવીમાં કોરોનાના દરીઓનું પરિક્ષણ કરવા નીકળેલા અધિકારીઓ (તસવીર: આશિષ રાજે)

મુંબઈ મહાનગરપાલિકાના કુલ ૨૪ વૉર્ડમાં અત્યાર સુધી નોંધાયેલા ૩૩,૦૦૦ કેસમાંથી ૪૨.૪૨ ટકા કેસ એટલે કે ૧૪,૦૦૦ કેસ તો માત્ર ૬ જ વૉર્ડમાં મળી આવ્યા છે. એ તમામ વૉર્ડમા ૨૦૦૦ કરતાં વધુ કોરોના-કેસ મળી આવ્યા છે એમ બીએમસી દ્વારા જાહેર કરાયેલા સ્ટેટિસ્ટિક્સમાં જણાવાયું છે.

દાદર, ધારાવી અને માહિમને સાંકળી લેતા જી-નૉર્થ વૉર્ડમાં સૌથી વધારે ૨૭૮૨ કેસ નોંધાયા છે; જ્યારે એના પછી ઈ, એફ-નૉર્થ, એલ, એચ-ઈસ્ટ અને કે-વેસ્ટમાં અનુક્રમે ૨૪૩૮, ૨૩૭૭, ૨૩૨૧, ૨૦૯૪ અને ૨૦૪૯ કેસ નોંધાયા છે જે કુલ ૧૪,૦૦૭ કેસ થાય છે.

મુંબઈ દેશનું સૌથી વધુ કોરોના-પેશન્ટ ધરાવતું શહેર બન્યું છે, જેમાં બુધવાર સાંજ સુધીમાં કોરોનોના ૩૩,૮૩૫ દરદી નોંધાયા છે અને એમાંથી ૧૦૪૪ કોરોનાગ્રસ્તોનાં મોત થયાં છે.

બીએમસી દ્વારા અપાયેલી વૉર્ડ-વાઇસ માહિતીમાં કહેવાયું છે કે ૩૩,૧૨૩ કેસમાંથી ૯૦૫૪ દરદીઓ સાજા થતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના ૩ વૉર્ડ એવા છે જેમાં કોરોનાના કેસ ઓછા છે, જેમાં આર-નૉર્થ (દહિસર)માં કોરોનાના સૌથી ઓછા ૩૦૯ કેસ છે. એ પછી તળમુંબઈના સી વૉર્ડમાં ૩૮૦ અને બી વૉર્ડમાં ૪૩૫ કેસ નોંધાયા છે. મુંબઈ મહાનગરપાલિના ૯ વૉર્ડ એવા છે જેમાં ૧૦૦૦ કરતાં ઓછા કેસ નોંધાયા છે.

જી વૉર્ડમાં નોંધાયેલા ૨૭૨૮ કેસમાંથી ૧૬૩૯ કેસ તો માત્ર ધારાવીના જ છે. વળી અત્યાર સુધી જે ૯૦૫૪ દરદીઓને સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે એમાં જી સાઉથ વૉર્ડના સૌથી વધુ ૮૩૩ દરદી છે, જ્યારે ઈ વૉર્ડના ૮૦૩ દરદીઓ છે.

સ્ટેટિસ્ટિક્સમાં વધુમાં કહેવાયું છે કે મુંબઈમાં કોરોનાનો ગ્રોથ રેટ ૫.૧૭ ટકા છે, પણ એમાં ઘાટકોપરના એન વૉર્ડનો ગ્રોથ રેટ ૯.૬ ટકા  છે, જ્યારે એ પછી અનુક્રમે પી-નૉર્થ, એસ અને આર સેન્ટ્રલ૮.૫, ૮.૩ અને ૮.૨નો ગ્રોથ રેટ ધરાવે છે. જી-સાઉથ વૉર્ડ સૌથી ઓછો ૩.૧નો ગ્રોથ રેટ ધરાવે છે.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation dadar dharavi mahim dahisar ghatkopar