28 September, 2011 06:19 PM IST |
બેરિઆટ્રિક સર્જરીની મદદથી ૧૪૦ કિલો વજનના ત્રિવિકરામ સૈતવાલનું સારવારના પંદર જ દિવસમાં ૧૦ કિલો વજન ઘટ્યું : ૮૦ કિલો સુધી વજન પહોંચાડવાનો ઇરાદો
આ સંજોગોમાં તેણે પંદર દિવસ પહેલાં બેરિઆટ્રિક સર્જરી કરાવીને વજન ઘટાડવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. હવે સારવારના પંદર જ દિવસમાં ત્રિવિકરામનું દસ કિલો જેટલું વજન ઘટતાં તેનામાં ઉત્સાહનો સંચાર થયો છે અને હવે તેનો ઇરાદો વજન ૮૦ કિલો જેટલું કરવાનો છે. ત્રિવિકરામને લાગે છે કે આટલા વજન પછી તેની લગ્ન કરવાની ઇચ્છા પૂરી થઈ જશે.
ત્રિવિકરામે કહ્યું હતું કે ‘આ સારવારમાં મને ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો. મેં મારી તમામ બચત ખર્ચી નાખી છે. આ ઉપરાંત મારી મોટી બહેનો પાસેથી ઉધાર પૈસા પણ લીધા છે. મને ખાતરી છે કે એક વખત
હું પાતળો થઈ જઈશ પછી મારી સાથે પણ કોઈ લગ્ન કરવા તૈયાર થઈ જશે.’