06 February, 2020 07:02 PM IST | Mumbai Desk | Rajendra B aaklekar
સીએસએમટી બિલ્ડિંગ કન્ઝર્વેશન પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા નાગરિકો.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલની ઇચ્છા છે કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ભવ્ય અને યુમનેસ્કો દ્વારા હેરિટેજની યાદીમાં મુકાયેલા હેડ-ક્વાર્ટર્સમાં મ્યુઝિયમ બને. બે વર્ષ પહેલાં એ પ્રોજકેટની તેમણે જાહેરાત કરી હતી. જોકે હવે તેમણે પ્રોજેક્ટ માટે ટૉકન તરીકે પહેલી વાર રૂપિયા ૧૦૦૦ ફાળવ્યા છે. જોકે સીએસએમટીના હેડ-ક્વાર્ટરમાં મ્યુઝિયમ બનાવવાનો રેલવેના મજદૂર યુનિયને વિરોધ કર્યો છે. અનેક કર્મચારીઓની પણ ઇચ્છા નથી કે એ ભવ્ય મકાનને મ્યુઝિયમ બનાવી દેવાય. એ સામે તેમણે ધરણાં પણ કર્યાં હતાં અને ત્યાર બાદ આમરણાંત ઉપવાસનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું.
એ ઉપરાંત મુંબઈના અન્ય પ્રોજેક્ટ માટે રૂપિયા ૫૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વર્ષ કરતાં ૨૮ કરોડ ઓછા છે. એ સિવાય બુલેટ ટ્રેન પ્રોજેક્ટ઼ માટે ૫૦૦૦ કરોડ રૂપિયા ફળવવામાં આવ્યા છે. જોગેશ્વરી ખાતે બનનારા નવા ટર્મિનસ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનની ઝડપ વધારવા માટે પગલાં લેવા માટે પણ રકમ ફાળવવામાં આવી છે.