100 crore recovery case: ક્યાં છે અનિલ દેશમુખ? ઈડી દ્વારા દેશમુખને ચોથું સમન્સ

31 July, 2021 12:44 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

100 કરોડ વસુલી મામલે ઈડીએ ચોથી વખત અનિલ દેશમુખને અને તેના પુત્રમે સમન્સ પાઠવ્યું છે. આ અગાઉ ત્રણ વાર સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતાં અનિલ દેશમુખ એખ વાર પર ઈડી સમક્ષ હાજર થયા નથી.

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)

100 કરોડ વસુલી મામલે અનિલ દેશમુખ પર ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં અનિલ દેશમુખ અને તેમના પુત્રને આગામી સપ્તાહમાં હાજર રહેવા માટે ચોથુ સમન્સ પાઠવ્યું છે. અગાઉ શુક્રવારે હાઈકોર્ટે મની લોન્ડરિંગની વિવિધ કલમો હેઠળ ઈડી દ્વારા નોંધાયેલા ફોજદારી કેસમાં કોઈપણ જબરદસ્ત કાર્યવાહીથી રક્ષણ માટે અનિલ દેશમુખની અરજી પર સુનાવણી સ્થગિત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દેશમુખની અરજી પર 3 ઓગસ્ટે સુનાવણી કરશે.

72 વર્ષીય દેશમુખ અને તેમના પુત્રને 2 ઓગસ્ટના રોજ EDની દક્ષિણ મુંબઈ કચેરીમાં આ કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અનિલ દેશમુખને ઇડીનો આ ચોથો સમન્સ છે. અગાઉ તે ત્રણ સમન્સ છતાં ઇડી સમક્ષ હાજર થયો નથી. તેમના વકીલ ઈન્દ્રપાલ સિંહ ત્રણેય વખત તેમના સ્થાને બલિયાર્ડ એસ્ટેટ ખાતે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. તેમણે કોરોના મહામારી અને વધતી જતી ઉંમરને ટાંકીને દેશમુખ માટે મુક્તિ માંગી હતી. તેમના પુત્ર અને પત્નીને પણ છેલ્લી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ હાજર થયા નથી.

આ કેસમાં દેશમુખના પીએ સંજીવ પલાંડે અને પીએસ કુંદન શિંદેની ધરપકડ કરવામાં આવી હતી, જે બંને હાલમાં કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે. તેમના પર દેશમુખને મની લોન્ડરિંગમાં મદદ કરવાનો આરોપ છે. ED ની પૂછપરછ ટાળવા માટે દેશમુખે એક પત્ર પણ લખ્યો હતો.

આ જ કેસમાં 15 દિવસ પહેલા દેશમુખ અને તેના પરિવારની 4.2 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આમાં નાગપુરમાં એક ફ્લેટ અને પનવેલમાં એક જમીનનો સમાવેશ થાય છે. દેશમુખના પીએ સંજીવ પલાંડે અને પીએસ કુંદન શિંદેની આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે બંને હાલમાં કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે.

ઇડીની કાર્યવાહી ટાળવા દેશમુખે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી, જોકે તેમને ત્યાંથી પણ કોઇ રાહત મળી નથી. ઇડી મુંબઇના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા લાદવામાં આવેલી 100 કરોડની વસૂલાતના સંદર્ભમાં પૂર્વ ગૃહમંત્રી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે. દેશમુખની સતત હાજરી ટાળ્યા બાદ હવે ચર્ચા શરૂ થઈ છે કે શું અનિલ દેશમુખ ધરપકડ ટાળવા માટે આ પગલું ભરી રહ્યા છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબપીર સિંહના આક્ષેપ બાદ આ સમગ્ર મામલો શરૂ થયો હતો.  પરમબીર સિંહે આશરે અઢી મહિના પહેલા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી અનિલ દેશમુખ પર  બાર અને રેસ્ટોરન્ટ પાસેથી 100 કરોડની વસુલી કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારથી આ મામલે ઈડી અનિલ દેશમુખ પર કાર્યવાહી કરી ચે. 

maharashtra mumbai news mumbai