જનરલ વી. કે. સિંહ અણ્ણા હઝારેના નવા કેજરીવાલ?

30 October, 2012 05:29 AM IST  | 

જનરલ વી. કે. સિંહ અણ્ણા હઝારેના નવા કેજરીવાલ?



મુંબઈમાં ગઈ કાલે અણ્ણા હઝારે અને આર્મીના ભૂતપૂર્વ વડા જનરલ વી. કે. સિંહે સાથે મળીને પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. અગાઉ જેમ અરવિંદ કેજરીવાલ હઝારે વતી જવાબો આપતા હતા એમ ગઈ કાલે જનરલ વી. કે. સિંહ હઝારેને પૂછવામાં આવતા સવાલોના જવાબ આપતા હતા. તેમણે હાલની કેન્દ્ર સરકારને ભ્રષ્ટ ગણાવી હતી તથા સંસદ ભંગ કરીને સરકારને જનતાનો સામનો કરવાનો પડકાર ફેંક્યો હતો.

અણ્ણા હઝારેએ આવનારા દિવસોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ દેશભરમાં આંદોલન શરૂ કરવાની હાકલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે લાખો લોકો આ લડતમાં સામેલ થશે, જ્યારે જનરલ સિંહે કહ્યું હતું કે સરકાર ચલાવવાની અત્યાર પદ્ધતિ બંધારણનાં મૂલ્યોની વિરુદ્ધ કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે માત્ર સરકાર જ નહીં વિપક્ષ પણ આ મુદ્દે મૌન છે.