મુંબઈ: પુલવામા આતંકી હુમલા માટે વૈષ્ણવ સંપ્રદાયે કરી કેન્ડલ માર્ચ

17 February, 2019 04:31 PM IST  |  મુંબઈ

મુંબઈ: પુલવામા આતંકી હુમલા માટે વૈષ્ણવ સંપ્રદાયે કરી કેન્ડલ માર્ચ

મુંબઈમાં યોજાઈ કેન્ડલ માર્ચ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થઈ ગયા. આતંકવાદીઓના શરમજનક કૃત્યના પગલે દેશભરમાં રોષ ફેલાયો છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેરઠેર રેલીઓ અને કેન્ડલ માર્ચ યોજાઇ રહી છે.

મીણબત્તી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ

 

અંતર્ગત મુંબઈમાં શનિવારે રાત્રે પૂજ્ય પાદ ગોસ્વામી108 શ્રી દ્વારકેશલાલજી મહારારજશ્રી તથા પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી અનુગ્રહકુમારજી મહોદયની અધ્યક્ષતામાં કાંદિવલીમાં મૌન રેલી અને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા.

mumbai pulwama district