21 June, 2019 12:25 PM IST | ગાંધીનગર
તસવીર સૌજન્યઃ વિજય રૂપાણી ટ્વિટ્ટર
રાજ્યમાં યોગના વિકાસ અને વિસ્તાર માટે ખાસ યોગ બોર્ડની રચના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ દરમિયાન આ મોટી જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને યોગ પણ કર્યા હતા. કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે યોગ કરવાની બીમારીઓ દૂર થાય છે, સમાજ જેટલો સ્વસ્થ હશે એટલી ગરીબી દૂર થશે અને સાથે સ્વસ્થતા કેળવવા માટે પણ યોગ જરૂરી છે. જેથી રાજ્યમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે માટે યોગ બોર્ડની રચના કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં ઉજવ્યો યોગ દિવસ, જુઓ ફોટોઝ
વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, "રાજ્યમાં યોગ બોર્ડની રચના થશે. ગુજરાતના જન જન સુધી યોગનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. યોગ આપણી આધ્યાત્મિક વિરાસત છે, તેના પ્રસારની સાથે સ્વસ્થ શરીર અને તંદુરસ્ત સમાજની રચના માટે યોગના માધ્યમથી પ્રયાસ કરવામાં આવશે."