31 October, 2018 11:10 AM IST |
હજી બે દિવસ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે વડાપ્રધાન મોદી પર આક્ષેપ કરનાર શંકરસિંહ વાઘેલાએ યુ ટર્ન લીધો છે. એક તરફ વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું બીજી તરફ બાપુએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું કે, અખંડ ભારતના સપનાને મજબૂત બનાવવા માટે પોતાના રાજ્યો આપનારા રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા સંબંધિત મારો પ્રસ્તાવ પત્ર સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર પીએમ નરેન્દ્ર મોદી અને તમે તેને દિલ્હી બોલાવી તેમના પરિવારના માનમાં રિસેપ્શન પણ રાખો એવી મારી ઇચ્છા છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માગ કરી હતી કે કે, આઝાદી સમયે પહેલું રજવાડું સમર્પિત કરનાર ભાવનગર સ્ટેટ સહિત અન્ય 562 રાજ્યનાં સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મુકાવવા જોઈએ. આ માંગ બાદ આજે શંકરસિંહ વાઘેલાએ તેમના આ પ્રસ્તાવ અંગેનો પત્ર સ્વીકારવા બદલ ટ્વિટ કરી પીએમ મોદીનો આભાર માન્યો હતો.