વડોદરાની સ્કૂલના ૭૦૦ સ્ટુડન્ટ્સે પાકિસ્તાનના વડા પ્રધાનને પત્રો શા માટે લખ્યા?

21 December, 2014 05:58 AM IST  | 

વડોદરાની સ્કૂલના ૭૦૦ સ્ટુડન્ટ્સે પાકિસ્તાનના વડા પ્રધાનને પત્રો શા માટે લખ્યા?


સ્ટુડન્ટ્સે આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવા અને આતંકવાદીઓ સામે પગલાં ભરવા પત્રો લખ્યા હતા. શ્રીકૃષ્ણ વિદ્યાલયમાં સાયન્સમાં ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી હુમા પરવીન અને નીલા નામની સ્ટુડન્ટ્સે આવીને આ ઘટના બાબતે નવાઝ શરીફને પત્ર લખવાની રજૂઆત કરી હતી ગઈ કાલે સ્કૂલના કૅમ્પસમાં નાઇન્થ અને ટેન્થ સ્ટાન્ડર્ડના દરેક સ્ટુડન્ટે પોતાની જાતે આવડે એ રીતે હિન્દી અને ગુજરાતી ભાષામાં પત્ર લખીને પોતાની લાગણીને વાચા આપી હતી અને કારેલીબાગ પોસ્ટ-ઑફિસમાં જઈને લેટર પોસ્ટ કર્યા હતા.