સુવર્ણ જલાધારી સાથે સોમનાથ મહાદેવ

29 December, 2012 07:33 AM IST  | 

સુવર્ણ જલાધારી સાથે સોમનાથ મહાદેવ



સોમનાથ મહાદેવમાં અખૂટ વિશ્વાસ અને અપરંપાર શ્રદ્ધા ધરાવતા એક મુંબઈના બિઝનેસમૅન દિલીપ લાખીએ દાન કરેલા સોનામાંથી તૈયાર થયેલું સુવર્ણ થાળું (જલાધારી) સાથે ગઈ કાલે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે ગઈ કાલે હજારો ભાવિકો ખાસ સોમનાથ પહોંચ્યા હતા. કારીગરોની કારીગીરી ગણો કે પછી સોમનાથ મહાદેવની અસીમ કૃપા ગણો સુવર્ણ જલાધારી ફિટ કરવાનું કામ માત્ર ૬૫ મિનિટમાં પૂર્ણ થઈ ગયું હતું. જેને કારણે ગઈ કાલે સવારે નિર્ધારિત કર્યા મુજબ સવારે આઠ વાગ્યાને બદલે નિશ્ચિત સમય મુજબ સવારે સવાછ વાગ્યે જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અંદાજે દસ કરોડની કિંમતની આ જલાધારી ફિટ થયા પછી મહાદેવને પહેલો અભિષેક ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન, ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કેશુભાઈ પટેલે કર્યો હતો.