અડવાણી અને મોદી વચ્ચે સમાધાન કરાવવા મોહન ભાગવત રાજકોટમાં

02 November, 2011 03:32 PM IST  | 

અડવાણી અને મોદી વચ્ચે સમાધાન કરાવવા મોહન ભાગવત રાજકોટમાં

 

 

(રશ્મિન શાહ)


રાજકોટ, તા. ૨


જોકે જાણવા મળ્યું છે કે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વડા પ્રધાન પદના ઉમેદવાર બનવા મામલે ચાલી રહેલા વિખવાદનો અંત લાવવા મોહન ભાગવત ગુજરાત આવ્યા છે અને રાજકોટમાં રહેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાન્તના સંચાલક પ્રવીણ મણિયાર સાથે આ બાબતની ચર્ચા કરીને તેઓ બીજેપીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્ય પ્રધાન વચ્ચે સુલેહ કરાવવા માગે છે.
મોહન ભાગવતની આ બે દિવસની રાજકોટ વિઝિટને મિડિયાથી દૂર રાખવામાં આવી છે. મોહન ભાગવત રાજકોટ પાસે આવેલા મુંજકા ગામમાં આવેલા યોગાશ્રમ આર્ષ વિદ્યામંદિરમાં રોકાયા છે. મોહન ભાગવતને મળવા માટે ગઈ કાલે પત્રકારો લગભગ ચાર કલાક સુધી આશ્રમની બહાર ઊભા રહ્યા હતા, પણ ભાગવતને મળવાની પરમિશન આપવામાં નહોતી આવી કે ન તો સંઘસુપ્રીમો પોતે બહાર આવ્યા હતા.