04 October, 2021 10:42 AM IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
રિલાયન્સ ફાઉન્ડેશનની પીડિયાટ્રિક કોવિડ હૉસ્પિટલ
કુલ ૨૩૦ બેડ સાથેની ગુજરાતની પ્રથમ પીડિયાટ્રિક કોવિડ હૉસ્પિટલનું શુક્રવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંહ હૉસ્પિટલમાં ઈ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રધાનો, સ્થાનિક સંસદસભ્યો, વિધાનસભ્યો તેમ જ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કૉર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સંસદસભ્ય પરિમલ નથવાણી પણ હાજર રહ્યા હતા. આ હૉસ્પિટલમાં ૩૦ ચિલ્ડ્રન્સ આઇ.સી.યુ., ૧૦ નિયોનેટલ આઇ.સી.યુ.ની સાથે વધારાના ૨૨ મેડિકલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને ૧૦ વૅન્ટિલેટરનો સમાવેશ થાય છે. આમ જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રની જનતા માટે આ તમામ સુવિધાને લીધે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સામનો કરવા તૈયાર છે.