06 August, 2012 05:45 AM IST |
ગઈ કાલે કડવા પ્રવચન સત્સંગ સભામાં ઉપસ્થિત રહીને ‘વિકાસ તો રાવણે પણ કર્યો હતો, પરિણામ શું આવ્યું?’ એમ કહીને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ ગૌવંશ અને ગૌચરને મુદ્દે આડકતરી રીતે ગુજરાતની નરેન્દ્ર મોદીની સરકારનું નામ લીધા વગર આક્ષેપો કર્યા હતા. પોતાનાં કડવાં પ્રવચનોથી દેશ અને દુનિયામાં જાણીતા બનેલા મુનિશ્રી તરુણસાગરજી મહારાજની કડવા પ્રવચન સત્સંગ સભામાં મુનિશ્રી કરતાં રાજકારણીઓ વધુ કડવું પ્રવચન કરી રહ્યા હોવાનું અને મુનિશ્રીના ધર્મમંચનો રાજકારણીઓ રાજકીય મંચ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.