મુંબઈના ૭ અને અમેરિકાના પાંચ સહિત ૫૮ યુવાનોએ મહંતસ્વામીના હાથે ગ્રહણ કરી સંતદીક્ષા

11 January, 2023 11:13 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મહંતસ્વામી મહારાજ, આનંદસ્વરૂપ સ્વામી, ડૉક્ટરસ્વામી સહિતના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે દીક્ષા માટેની મહાપૂજાવિધિ યોજાઈ હતી.

મુંબઈના ૭ અને અમેરિકાના પાંચ સહિત ૫૮ યુવાનોએ મહંતસ્વામીના હાથે ગ્રહણ કરી સંતદીક્ષા

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ગઈ કાલે મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ભાગવતી દિક્ષા સમારોહ યોજાયો હતો; જેમાં મુંબઈના ૭, અમેરિકાના પાંચ અને ગુજરાતના ૪૬ સહિત ૫૮ નવયુવાનોએ મહંતસ્વામીના હાથે સંતદીક્ષા ગ્રહણ કરી હતી. અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ૬ અનુસ્નાતક, ૪૬ સ્નાતક જેમાં ૨૬ ઇજનેર અને ૧ આર્કિટેક્ટ, બે એમબીએ સહિત ૫૮ પાર્ષદોએ ભાગવતી દીક્ષા લીધી હતી. મહંતસ્વામી મહારાજ, આનંદસ્વરૂપ સ્વામી, ડૉક્ટરસ્વામી સહિતના સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે દીક્ષા માટેની મહાપૂજાવિધિ યોજાઈ હતી. સૌ નવદીક્ષિત સંતોના અપાયેલા દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી હતી.

gujarat news ahmedabad