વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, PM મોદી,CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

29 July, 2019 12:57 PM IST  |  ગાંધીનગર

વિઠ્ઠલ રાદડિયાનું અવસાન, PM મોદી,CM રૂપાણીએ ટ્વિટ કરીને આપી શ્રદ્ધાંજલિ

Image Courtesy:Facebook

ગુજરાતના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની વયે અવસાન થયું છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાનું અવસાન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનો માહોલ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીે ટ્વિટ કરીને સદગદના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી શોક વ્યક્ત કર્યો છે.

 

આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

 

તો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરીને સદગતના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી છે.

Gujarat BJP Vijay Rupani narendra modi