25 December, 2018 08:07 PM IST |
સરદાર પટેલના નામે અપાશે અવૉર્ડ
પ્રધાનમંત્રી મોદીએ દેશની એકતા અને અખંડિતતા માટે યોગદાન આપનાર લોકો માટે સરદાર વલ્લભભાઈ પટેલ અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન દેશની એકતા અને અખંડિતતા માટે પ્રયાસો કરનારને આપવામાં આવશે. કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી.
અવૉર્ડને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું કે, 'સરદાર પટેલે ભારતની એકતા માટે તેનું જીવન સમર્પિત કરી દીધું. રાષ્ટ્રીય અખંડિતતા માટે સરદાર પટેલ અવૉર્ડ તેમના માટે એક ઉચિત શ્રદ્ધાંજલિ હશે અને દેશની એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાને આગળ વધારવાની દિશામાં કામ કરવા માટે વધુને વધુ લોકોને પ્રેરિત કરશે'.