03 November, 2011 07:30 PM IST |
કોઈને નહીં મળવાની વાત કરનારા સંઘના વડા ગઈ કાલે સંઘના ગુજરાતના પ્રાન્ત-સંચાલક પ્રવીણ મણિયાર અને વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયાને મળ્યા હતા અને બન્ને સાથે બંધબારણે મીટિંગ કરી હતી. સંઘના પ્રાન્ત-સંચાલક પ્રવીણ મણિયારે કહ્યું હતું કે જે કોઈ ચર્ચા થઈ છે એ અંગત ચર્ચા છે, જેની સાથે અન્ય કોઈને નિસબત નથી.
સંઘસુપ્રીમો આ ઉપરાંત અલગ-અલગ ધર્મના સંત અને ધર્મવડાઓને પણ મળ્યા હતા. બીજેપી સાથે સંકળાયેલી એક વ્યક્તિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ મીટિંગ દરમ્યાન મુખ્યત્વે લોકસભાના આગામી ઇલેકશન વિશે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રવર્તમાન રાજકારણ વચ્ચે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી કેવી રહી છે એવી પણ તેમણે જાણકારી મેળવી હતી.’
રાજકોટથી ગઈ કાલે સાંજની ફ્લાઇટમાં મુંબઈ પહોંચેલા મોહન ભાગવત હવે પછી શું ઍક્શન લે છે એના પર મોટા ભાગના રાજકીય વિશેષજ્ઞોની નજર રહેશે.