ગાંધીજી દુનિયા આખીના બાપુ છે, પણ ગુજરાતના તો તેઓ દીકરા છે

03 October, 2011 08:57 PM IST  | 

ગાંધીજી દુનિયા આખીના બાપુ છે, પણ ગુજરાતના તો તેઓ દીકરા છે

 

 

ગાંધી જન્મજયંતી નિમિત્તે કીર્તિ મંદિરમાં રાખવામાં આવેલી સર્વધર્મ પ્રાર્થના પછી નરેન્દ્ર મોદીએ કાંઈક આવું કહ્યું હતું

નરેન્દ્ર મોદીએ સર્વધર્મ પ્રાર્થનામાં હાજર રહેલા તમામ ધર્મના ગુરુઓ અને સંતોને એવી વિનંતી કરી હતી કે તમે તમારા અનુયાયી અને શુભેચ્છકોને આ દિવાળીએ ખાદી ખરીદવાની અને ખાદી પહેરવાની પ્રેરણા આપો એવી મારી વિનંતી છે.

ગઈ કાલે રવિવાર હોવાથી પોરબંદરનો ખાદી ભંડાર બંધ હતો, જેથી નરેન્દ્ર મોદીએ સ્થાનિક કાર્યકરોને કહીને પોતાને અગિયાર મીટર ખાદી પહોંચાડવાનું કહ્યું હતું અને એ માટેના પૈસા તેમણે પોતે અડધી બાંયના ઝભ્ભાના ખિસ્સામાંથી કાઢી આપ્યા હતા.