પોસ્ટરવૉરમાં નવો વળાંક: મોદી હવે બન્યા મિયાં-મોદી

23 September, 2012 03:42 AM IST  | 

પોસ્ટરવૉરમાં નવો વળાંક: મોદી હવે બન્યા મિયાં-મોદી

જોકે એ બધાં પોસ્ટરોમાં ગઈ કાલે અમદાવાદમાં બનેલાં પોસ્ટરો વિવાદને વધુ આકરું રૂપ આપનારાં છે.

અમદાવાદના પ્રીતમનગર, ગુજરાત કૉલેજ રોડ અને કૉન્ગ્રેસ ઑફિસ પાસેના એરિયામાં લગાવવામાં આવેલાં પોસ્ટરોમાં નરેન્દ્ર મોદીને મુસ્લિમ ટોપી સાથે મિયાં મુસ્લિમ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરો પર ગોધરાકાંડ અને એ પછી ગુજરાતભરમાં થયેલાં તોફાનોના ફોટોગ્રાફ્સ છાપવામાં આવ્યા છે. શહેરમાં લાગેલાં સોથી વધુ આ પોસ્ટરો પર લખ્યું છે : ના હિન્દુત્વ કા... ના સદ્ભાવના કા... યે ખેલ હૈ ખુરસી કા.

પોસ્ટરો વિશે સવારે સાત વાગ્યે ખબર પડ્યા પછી તરત જ અમદાવાદની પોલીસ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઑફિસર આ પોસ્ટરો ઉખાડવાની કાર્યવાહીમાં લાગી ગયાં હતાં. આ પોસ્ટરો બાબતમાં ગુજરાત સરકારના પ્રવક્તાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તેમણે કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી.