મોદીના નવરાત્રિના વ્રતે વિવાદ સર્જ્યો

30 September, 2011 09:03 PM IST  | 

મોદીના નવરાત્રિના વ્રતે વિવાદ સર્જ્યો


રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે અડવાણીએ બે દાયકાથી સોમનાથ આવવાની પરંપરા તોડી એનો બદલો વાળવા મોદીએ નવી દિલ્હી નહીં જવાનું નક્કી કર્યું છે. અડવાણીએ રથયાત્રા ગુજરાતને બદલે બિહારથી કાઢીને પણ પોતાનો મોદી સાથેનો ખટરાગ જાહેર કર્યો હતો. જોકે મોદી અડવાણીની રથયાત્રાની તરફેણમાં નહોતા.’

બીજેપીના પ્રવક્તા અને પ્રમુખે અડવાણી અને મોદી વચ્ચે તિરાડ પડી હોવાની વાતને નકારી કાઢી હતી. બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘અમે મોદી સાથે વાતચીત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે તેઓ આવે છે, પરંતુ આ વખતે નવરાત્રિ છે.’

આ અગાઉ મોદીએ સદ્ભાવના મિશનમાં ત્રણ દિવસ ઉપવાસ કર્યા હતા અને અડવાણીએ પહેલા દિવસે એમાં હાજરી આપી હતી. મુખ્ય પ્રધાન મોદીએ સરકારી નવરાત્રિ ૨૦૧૧ ફેસ્ટિવલનું ઇનોગ્રેશન કર્યું છે અને આમાં ૧૭ દેશોના હાઈ કમિશનરો હાજરી આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવથી ગુજરાત વિશ્વ ટૂરિઝમના નકશા પર મુકાય છે.