27 August, 2012 03:02 AM IST |
ગુજરાતમાં ચાલી રહેલી ગૌહત્યાના વિરોધમાં લગાવવામાં આવેલાં આ પોસ્ટર વિશ્વ હિન્દુ પરિષદ કે સાધુસમાજના કોઈક જૂથે લગાડ્યાં હોવાનું પોલીસનું માનવું છે. પોસ્ટર લાગ્યાના સમાચાર મYયા પછી અડધો જ કલાકમાં એ પોસ્ટર ઉતારવા માટે પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ગઈ કાલે મિડિયાના કર્મચારીઓને આ ફોટોગ્રાફ ન છાપવા માટે વિનંતી પણ કરી હતી.
ગઈ કાલે આખો દિવસ પોલીસ અમદાવાદમાં અન્ય કોઈ વિસ્તારોમાં આવાં પોસ્ટર લાગ્યાં છે કે નહીં એની તપાસ કરવામાં વ્યસ્ત હતી.