02 December, 2019 09:27 AM IST | Surat
અકસ્માતની તસવીર
નવી મુંબઈથી ગુજરાત સ્ટૅચ્યુ ઑફ યુનિટી જોવા નીકળેલા બાઇકર્સ ગ્રુપના સભ્યો માટે રવિવારનો દિવસ દુઃખદ રહ્યો. પાંચ બાઇકર્સ પૈકી એક બાઇકરનું નવસારીમાંથી પસાર થતા નૅશનલ હાઇવે પર આલીપોર રેલવે ઓવરબ્રિજ પરથી પડી જતાં સ્થળ પર કમકમાટીભર્યું મોત થયું હતું. આ બાઇક રાઇડર સૌરવ ડિપ્લોમાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને દળવી પરિવારમાં એકનો એક દીકરો હતો. પિતા પ્રશાંત દળવી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને અકસ્માત સમયે તેઓ દુબઈ કંપની મીટિંગમાં ગયા હોવાનુ જાણવા મળે છે. આ સમગ્ર ઘટના અંગે અકસ્માતનો ભોગ બનનાર સૌરવના સાથી રાઇડર મિત્ર અથર્વ મ્હાત્રેએ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.