"આ મોદીને કોઈ ફિલ્મફેર અવૉર્ડ આપો"

13 November, 2012 03:39 AM IST  | 

"આ મોદીને કોઈ ફિલ્મફેર અવૉર્ડ આપો"



ડિસેમ્બરમાં ગુજરાતમાં આવી રહેલા વિધાનસભા ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે ગઈ કાલે ગુજરાત આવેલાં કૉન્ગ્રેસનાં મહિલા નેતા અને એક સમયના યુનિયન મિનિસ્ટર રેણુકા ચૌધરીએ જૂનાગઢના કાર્યકર સંમેલનમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીને અસત્યના પ્રચાર માટે અવૉર્ડ મળવો જોઈએ. આ માણસ એક નૌટંકીબાજ છે. જો તે બૉલીવુડમાં હોય તો અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા ઍક્ટરની છુટ્ટી કરી નાખે. હું તો કહીશ કે મોદીને ખોટું બોલવાની સાચી ઍક્ટિંગ કરવા બદલ કોઈ ફિલ્મફેર અવૉર્ડ આપે.’

રેણુકા ચૌધરીએ રાજકોટ ઍરર્પોટ પર ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીને કોઈ સાથે નથી બનતું. ઘરમાં પણ અને પાર્ટીમાં કોઈની સાથે બનતું નથી, પણ તમે જુઓ, બધાં ઍક્ટર-ઍક્ટ્રેસ સાથે તેને બને છે. આવું નૌટંકીવાળાઓને જ ફાવે. ગુજરાતમાં આ વખતે ઇલેક્શનમાં હાર્યા પછી મોદી મુંબઈમાં ઍક્ટિંગ કરવા જાય તો મને નવાઈ નહીં લાગે.’