ગુજરાતમાં દર બે દિવસે સરેરાશ ત્રણ બળાત્કાર

02 December, 2014 05:58 AM IST  | 

ગુજરાતમાં દર બે દિવસે સરેરાશ ત્રણ બળાત્કાર


વિરમગામ મતવિસ્તારનાં કૉન્ગ્રેસનાં મહિલા વિધાનસભ્ય ડૉ. તેજશ્રીબહેન પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભામાંથી મને ઑફિશ્યલી રેકૉર્ડ પૂરો પાડવામાં આવ્યો છે એ પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૬૮૮૦ લૂંટના બનાવો બન્યા છે. એ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૨૪૩ બળાત્કારની અને ૨૫,૮૧૧ આપઘાતની ઘટનાઓ બની છે. મહિલાઓ પરના અત્યાચારમાં ૬૬ ટકાનો વધારો થયો છે જ્યારે ૭૪૭૭ નાગરિકોનાં અપહરણ થયાં છે અને ૯૩,૦૨૬ ચોરીના અને ૧૨૨૮ ધાડના બનાવો બન્યા છે.’