26 September, 2019 08:48 AM IST | ગાંધીનગર
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા
ગુજરાત વિધાસનભાની પેટાચૂંટણી બાબતે બીજેપીની પાર્લમેન્ટરી બોર્ડ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને લીલી ઝંડી આપવામાં આવી છે. આગામી ૨૧ ઑક્ટોબરે યોજાનારી વિધાનસભાની ૬ બેઠકો પરની પેટાચૂંટણી માટે બીજેપીએ મુરતિયાઓની પસંદગીને આખરી ઓપ આપી દીધો છે. રાધનપુર બેઠક પર અલ્પેશ અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને પ્રચાર શરૂ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો : બોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે
રાજ્યમાં ૨૧ ઑક્ટોબરે ૬ વિધાનસભામાં પેટાચૂંટણીઓ યોજાશે. અમદાવાદની અમરાઈવાડી, સાબરકાંઠાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, મહીસાગરની લુણાવાડા તેમ જ પાટણના રાધનપુર, અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ થશે. આ બેઠકો માટે બીજેપીએ આજે મનોમંથન કરી કેટલાંક નામોની ચર્ચા કરવામાં આવી હતી.