13 November, 2012 06:05 AM IST |
ગુજરાત દલિત સમાજે ગઈ કાલે જાહેરમાં પોતાનો વિરોધ વ્યક્ત કરતાં ગુજરાતના છવ્વીસ જિલ્લાનાં જિલ્લા મથકો પર ધરણાં પણ કર્યા હતાં અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉન્ગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધીના મુખવટાઓ સાથે શેરી નાટકો પણ કર્યા હતાં. ગુજરાતમાં દલિતોની વસ્તી ૧૦.૦૯ ટકાની છે, જે વસ્તીની ગણતરીએ ચોથા નંબરની સૌથી મોટી વસ્તી છે. આટલી મોટી સંખ્યાની વસ્તી જો ઇલેક્શનનો બહિષ્કાર કરે તો સ્વાભાવિકપણે પૉલિટિકલ પાર્ટી માટે ટેન્શન ઊભું થાય. આ જ કારણે ગઈ કાલે જેવી ઇલેક્શન બહિષ્કારની જાહેરાત થઈ કે તરત જ બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીના નેતાઓ દલિત સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ કરવામાં બિઝી થઈ ગયા હતા.