28 November, 2012 03:30 AM IST |
શંકરસિંહ વાઘેલાને જો ટિકિટ આપવામાં આવે તો તેમને ગાંધીનગર બેઠકની ઑફર કરવામાં આવે એવા ચાન્સિસ છે. આ ઉપરાંત બાપુ માટે દહેગામ અને પાદરા બેઠકની પણ વિચારણા ચાલી રહી છે. બાપુનો ઉત્તર ગુજરાત પરનો હોલ્ટ જોઈને કૉન્ગ્રેસે સેકન્ડ ફેઝના ઇલેક્શનના કૅન્ડિડેટની પસંદગીની મીટિંગ દરમ્યાન પણ તેમને સતત સાથે રાખ્યા છે, જેથી પહેલા તબક્કાના ઉમેદવારની પસંદગી પછી કૉન્ગ્રેસના કાર્યકરોમાં જે વિવાદ થયો એવો વિવાદ ન થાય.
૮૭ ઉમેદવારોએ લીધો ૮૮૯૫ કાર્યકરોનો ભોગ
ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના પ્રથમ તબક્કાના ૮૭ ઉમેદવારો જાહેર કર્યા પછી ગુજરાત કૉન્ગ્રેસમાં જબરદસ્ત વિવાદ શરૂ થયો હતો અને ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોની ડિમાન્ડ હતી કે અમુક શહેરોમાં ઉમેદવાર બદલવામાં આવે પણ કૉન્ગ્રેસે માગણી માન્ય ન રાખતાં કાર્યકર્તાઓ નારાજ થયા અને સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતની અલગ-અલગ બેઠક પરથી ૮૮૯૫ કાર્યરોએ રાજીનામાં આપી દીધાં. ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અજુર્ન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘રાજીનામું આપનારા કાર્યકોની માગ ખોટી હોવાથી તેમની માગણી માન્ય રાખવામાં આવી નથી.’