03 September, 2012 05:19 AM IST |
ગઈ કાલે મરનારાઓમાં ત્રણ સ્ટુડન્ટ્સ વીસનગરની કૉલેજના અને અન્ય બે એન્જિનિયરિંગ કૉલેજના હતા. ખેડબ્રહ્મા એન્જિનિયરિંગ કૉલેજના પ્રોફેસર સંદીપ સથવારાએ કહ્યું હતું કે ‘દરિયામાં કરન્ટ જબરદસ્ત હતો. હું અને મારા સ્ટુડન્ટ્સ જ્યારે પાણીમાં ઊતર્યા ત્યારે જ અમને ખબર પડી હતી કે આ પાણીમાં દરિયામાં ખેંચી જવાની તાકાત છે, પણ આજુબાજુમાં કોઈ રેસ્ક્યુ ટીમ કે સામાન્ય પબ્લિકની અવરજવર નહોતી એટલે કોઈએ તો હિંમત કરવાની હતી. એ હિંમત અમે કરી.’
આ ઘટના બન્યા પછી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી માંડવી બીચ પર સ્પીડબોટ સાથે બે તરવૈયા અને બે પોલીસ-કર્મચારીઓ મૂકવાનો ઑર્ડર આપી દીધો છે. માંડવી બીચ પર પ્રવાસીઓનો ટ્રાફિક રહેતો હોવાથી હવે પછી આવી કોઈ ઘટના ન બને એ માટે આ તકેદારી લેવામાં આવી છે.
સ્ટુડન્ટ્સ માટે બ્રેવરી અવૉર્ડ વિશે વિચારણા
ગઈ કાલની ઘટના માટે માંડવી નગરપાલિકાના ચૅરમૅન સામંતસિંહ સોઢાએ કહ્યું હતું કે ‘જો એન્જિનિયરિંગ કૉલેજના છોકરાઓ મદદે ન પહોંચ્યા હોત તો આજે મોટી સંખ્યામાં મૃત્યુ થયાં હોત, પણ બચાવકાર્ય તરત જ શરૂ થઈ જતાં વીસનગર કૉલેજના ત્રણ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ થયાં છે અને એક ગુમ થયો છે. અમે આ બધાં બાળકોનું સન્માન કરવાનું નક્કી કર્યું છે અને ગુજરાત સરકાર બધાં બાળકોને બ્રેવરી અવૉર્ડ આપે એ માટે પણ સજેશન મોકલ્યું છે.’
ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે પણ બચાવકાર્ય કરનારા આ સ્ટુડન્ટ્સને બ્રેવરી અવૉર્ડ આપવાનું ગંભીરતાપૂર્વક વિચારવામાં આવશે એવું કહ્યું હતું.