21 October, 2011 03:34 PM IST |
આ ભૂકંપથી લોકોના મનમાં ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપની યાદ તાજી થઈ હતી. ૭.૬ના એ સમયના ભૂકંપને લીધે ૨૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને કચ્છ તથા અમદાવાદમાં ભારે નુકસાન થયું હતું. ગઈ કાલના ભૂકંપના આંચકા મુંબઈ નજીકના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા.
એપિસેન્ટર જેતપુરથી ૨૫ કિલોમીટર સાઉથ-વેસ્ટ સાસણ અને વંથલી વચ્ચે હતું. સોમનાથ અને દીવ સહિતની દરિયાઈ પટ્ટીમાં ભૂકંપના આંચકાઓ અનુભવવામાં આવ્યા હતા. કંડલા બંદરે પણ ભૂકંપની તીવ્રતા અનુભવવામાં આવી હતી. જૂનાગઢમાં ત્રણ જણે ગભરાટમાં મકાન ઉપરથી છલાંગ મારતાં તેમને નજીવી ઈજાઓ થઈ હતી. એપિસેન્ટરની આસપાસના અમુક વિસ્તારોમાં વીજળી ગૂમ થઈ ગયાના સમાચાર છે.