દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થશે

01 July, 2022 10:41 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ

દિનકર જોષી

ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું યોગદાન આપનાર જાણીતા લેખક દિનકર જોષીનાં ૨૦ પુસ્તકોનું લોકાર્પણ થવાનું છે. તેમનાં ગુજરાતી ભાષાનાં ૧૧ અને મરાઠી ભાષાનાં ૯ પુસ્તકોના લોકાર્પણનો સમારંભ ત્રીજી જુલાઈએ સાંજે ચાર વાગ્યે રાજકોટના પ્રમુખસ્વામી ઑડિટોરિયમમાં યોજાશે. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પુસ્તકોનાં લોકાર્પણ થશે. અતિથિવિશેષ તરીકે ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસી ભાણદેવ ઉપસ્થિત રહેશે. આ પુસ્તકોનું પબ્લિકેશન પ્રવીણ પ્રકાશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા થયું છે.

gujarat gujarat news dinkar joshi