02 November, 2012 05:33 AM IST |
સોમનાથ મહાદેવ અત્યારે ચાંદીના થાળમાં બિરાજમાન છે. આ ચાંદીનો થાળ રાજકોટમાં બનાવવામાં આવ્યો હતો. ચાંદીના થાળ માટે ૨૪.૯ કિલો ચાંદી વાપરવામાં આવી હતી. મહાદેવ માટે બનાવવામાં આવનારા સોનાના થાળની ડિઝાઇન બનાવવાનું કામ રાજકોટના એક જ્વેલરને સોંપવામાં આવ્યું છે, પણ આ થાળ બનાવવાનું કામ ઉત્તરાખંડમાં આવેલા બદરીનાથ મંદિરનો થાળ જેણે બનાવ્યો છે એ કારીગરોને સોંપવામાં આવશે. ડિસેમ્બરના અંત ભાગ સુધીમાં સોનાનો થાળ તૈયાર થઈ જાય એવી શક્યતા છે. સોનાનો થાળ આખો ડિટૅચેબલ હશે જે જ્યોતિર્લિંગ ફરતે મૂકી દેવામાં આવશે. આ સોનાનો થાળ ચડાવતી વખતે સોમનાથમાં ઉત્સવ પણ ઊજવવામાં આવશે.
કોણ છે આ બિઝનેસમૅન?
૨૫ કિલો સોનું ડોનેટ કરવાની તૈયારી દર્શાવનારા બિઝનેસમૅનનું નામ જાહેર કરવા શ્રી સોમનાથ ટ્રસ્ટ તૈયાર નથી, પણ આ બિઝનેસમૅન દેશના ટૉપ દસ પૈકીના એક બિઝનેસમૅન છે એવું સ્વીકારે છે.