27 December, 2011 05:18 AM IST |
ચૂંટણી કૅમ્પેન કમિટીના ચૅરમૅન શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ‘ગુજરાતની પ્રજા બીજેપીના ઓછાયામાંથી બહાર નીકળી રહી છે અને કૉન્ગ્રેસ તરફ નજર રાખી રહી છે ત્યારે કૉન્ગ્રેસની જવાબદારી છે કે લોકોના પ્રશ્નો વધુ ઉજાગર કરવામાં આવે.’
આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે માગણી કરતાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની કૉન્ગ્રેસ સરકારે કપાસ, સોયાબીન વગેરેમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું છે અને ખેડૂતોને ૩૫૦૦ રૂપિયાથી ૪૦૦૦ રૂપિયા સુધી રોકડ વળતર આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ મહારાષ્ટ્ર સરકારના ધોરણે ખેડૂતોને પૅકેજ આપવું જોઈએ.’